કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને ફરી એક મોટો ર્નિણય લેવામા આવ્યો હતો. મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. તહેવારોની સિઝન છે, ત્યારે કેન્દ્ર સરકારે ઉજ્જવલા લાભાર્થીઓને આપેલી આ ભેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ ર્નિણય પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ર્નિણયથી દેશની કરોડો માતા-બહેનોની નવરાત્રી અને અન્ય તહેવારોની રોનક વધી છે.. તેમણે આગળ કહ્યું કે, એક ગેસ સિલિન્ડર પર ૨૦૦ રૂપિયા સબસિડી, રક્ષાબંધન પર ૨૦૦ રૂપિયાની છૂટ અને ગઈકાલની કેબિનેટ બેઠકમાં લેવાયેલા ર્નિણય બાદ ૧૦૦ રૂપિયાની વધારાની છૂટ બાદ હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયા સસ્તો થયો છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ૨૦૧૪માં જે ભાવે ગેસ સિલિન્ડર મળતા હતા, આજે ૨૦૨૩માં લગભગ તે જ ભાવે ઉજ્જવલા યોજના હેઠળ માતા-બહેનોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ ર્નિણય ગરીબો, માતા-બહેનો-દીકરીઓ અને વંચિત વર્ગના હિતો, સ્વાભિમાન અને સન્માનની રક્ષા પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે ૪ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાનો ર્નિણય લીધો હતો.
Recent Comments