સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આઠ અઠવાડિયા માટે ચાલનારું “સ્વચ્છતા હી સેવા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે જેમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઇ કરવા સહિત જાગૃતિ માટેના અનેક પ્રયાસો કરવામાં આવનાર છે
જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વાવડી ગામે આંગણવાડી ખાતે ગામના બહેનોને ઘન કચરો અને પ્રવાહી કચરો જુદા પાડવા અંગેની માહિતી આપવામાં આવી હતી. બંને કચરાના નિકાલની અલગ અલગ પદ્ધતિ હોઈ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે આથી લોકો દ્વારા જ ઘન કચરો અને પ્રવાહી કચરો અલગ પાડવામાં આવે જેથી તેની પ્રોસેસ સરળ બનાવી શકાય
Recent Comments