આ બેઠક માં સોની સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા આ બેઠકમાં મુખ્ય બે વિષય રહ્યા હતા જેમાં નદી બજારમાં શાક માર્કેટ અને ટ્રાફિક નો પ્રશ્ન તથા તહેવારો દરમિયાન રાત્રે મોડે સુધી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવા બાબતે ચર્ચા થઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા દ્વારા વહેલી તકે શાકમાર્કેટ નો તથા ટ્રાફિક નો પ્રશ્ન હલ કરવા બાબતે ચર્ચા થઈ હતી. દિવાળી તથા નવરાત્રી તહેવાર વેપારીઓને મોડે સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી થી દિવાળી સુધી સરકાર અલગથી જાહેરનામું બહાર પાડે છે તે અન્વયે વેપારીઓને મોડે સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે યોગ્ય કરવા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ મહામંત્રી રાજુભાઇ શીંગાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
રીપોર્ટર : યશપાલ વ્યાસ – સાવરકુંડલા
—
Recent Comments