ભારત ઈઝરાયેલને હથિયાર આપવા, પેલેસ્ટાઈન પર વલણ વિષે વિદેશમંત્રાલયનો સ્પષ્ટ જવાબ

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય હેઠળ ભારતીય વિમાન આજે રાત્રે ઈઝરાયેલ પહોંચશે, જે આવતીકાલે સવારે ભારત પરત ફરશે. ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે.
આ દરમિયાન તેણે એ પણ કહ્યું કે શું ભારત ઈઝરાયેલને હથિયાર આપશે કે નહીં? જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને પૂછવામાં આવ્યું કે શું ભારત ઈઝરાયેલને કોઈપણ પ્રકારના હથિયાર આપશે? તેના જવાબમાં તેમણે કહ્યું, “અત્યાર સુધી અમને આવી કોઈ વિનંતી મળી નથી, ન તો અમે આવી કોઈ મદદ કરી રહ્યા છીએ. અત્યારે અમારું ધ્યાન ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો પર છે અને ભારત આવવા માંગે છે તેઓને સુરક્ષિત રીતે ભારતમાં લાવવાના છે”.. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં ભારતીય નાગરિકને પરત લાવવા માટે ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ જાે જરૂર પડે તો સરકાર એરફોર્સનો પણ ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે પ્રથમ ફ્લાઈટમાં લગભગ ૨૩૦ નાગરિકોને ઈઝરાયેલથી ભારત લાવવામાં આવશે. હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને લગતા એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને આતંકવાદી હુમલા તરીકે જાેઈ રહ્યા છીએ. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે પેલેસ્ટાઈનને લઈને ભારતની નીતિ લાંબા સમયથી એક જેવી જ રહી છે. ભારત હંમેશા વાટાઘાટો દ્વારા સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઈનના નિર્માણની હિમાયત કરતું આવ્યું છે. અને આ હજુ પણ ભારતનું સ્ટેન્ડ છે.
Recent Comments