અમરેલી

બગસરા નગરપાલિકા દ્વારા મહાપુરૂષોની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૫ ઓક્ટોબરથી  ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન બે માસનું સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યુ છે. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં વિવિધ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કેલેન્ડર મુજબ સફાઈ અભિયાન યોજાઈ રહ્યા છે. સ્વચ્છતાની આ ઝુંબેશમાં બગસરા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી મહાપુરૂષોની વિવિધ પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. ટીમ   બગસરા નગરપાલિકા દ્વારા નાગરિકો, શહેરની સંસ્થાઓ અને આગેવાનોએ સાથે મળી અને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં તા.૨૨ ઓક્ટોબરના રોજ જિલ્લામાં શહેર તથા ગ્રામ્યના તમામ ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળોની સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ તા.૨૩થી ૨૮ ઓક્ટોબર સુધી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડીંગ, શાળા, કોલેજો અને આંગણવાડીની સફાઈ કરવામાં આવશે.

Related Posts