અમરેલી

સાવરકુંડલા માં  વૈષ્ણવ  સંપ્રદાય શ્રી મહાપ્રભુજી ની  બેઠકજી માં પેવિંગ બ્લોક  નું કામ ચાલુ  કરાવતા નવ નિયુક્ત નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી

સાવરકુંડલામાં  વૈષ્ણવ સંપ્રદાય  ની ૮૪ બેઠક પૈકી  ની એક બેઠક શ્રી મહાપ્રભુજી બેઠકજી નાવલી નદી કિનારે આવેલ છે.  વૈષ્ણવ સંપ્રદાય ની મહાપ્રભુજીના બેઠકજી ની અંદર બગીચામા  પેવિંગ બ્લોક ની જે વૈષ્ણવ  સંપ્રદાય  ની જૂની માગણી હોય તેમજ લાભ પાંચમના દિવસે મહાપ્રભુજી ની બેઠક ખાતે ઉત્સવ હોવાથી  આ રજૂઆતને ધ્યાનમાં લઇ ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી  નવ નિયુક્ત પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને તેમની  ટીમ  દ્વારા તાત્કાલિક પેવિંગ બ્લોક નું કામ ચાલુ કરાવવામાં આવેલ.

Related Posts