ગુજરાત

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતથી અમદાવાદ કોંગ્રેસ ભવનમાં સન્નાટો છવાયોસરકાર બદલવાના રિવાજ પ્રમાણે મતદાન થયું એટલે કોંગ્રેસ હારી : ડો.મનીષ દોશી

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે..જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક રાજ્યમા જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ ભવનમાં સન્નાટો છવાયો હતો. પરિણામે અમદાવાદમાં કોંગ્રેસ ભવન સૂમસામ બન્યું હતું.બીજી બાજુ હાર બાદ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના નિવેદન સામે આવ્યા છે.

કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ કહ્યું કે રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસની હારના પરિણામ આવ્યા તે અમારા માટે નિરાશાજનક છે. તેઓએ દાવા સાથે એમ પણ જણાવ્યું હતું કે અમે ભૂલોને સુધારવાનો પ્રયાસ કરીશું અને હારને લઈ વિશ્લેષણ પણ કરીશું. તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું. વધુમાં ૪ રાજ્યોના ચૂંટણી પરિણામ પર ગુજરાત કોંગ્રેસના મુખ્યુ પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ડો.મનીષ દોશીએ કહ્યું હતું કે તેલંગાણામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે.

રાજસ્થાનમાં કોંગ્રેસે ૫ વર્ષ પ્રજાલક્ષી કામ કર્યુ છે અને રાજસ્થાનની જનતા સરકારના પર્ફોર્મન્સથી ખુશ પણ હતી. જાેકે જનતાએ સરકાર બદલવાના રિવાજ પ્રમાણે મતદાન કર્યુ હોવાથી કોંગ્રેસની હાર થઈ છે. રાજસ્થાનમાં મજબૂત વિપક્ષ તરીકે જવાબદારી મળી છે જે અમે નિભાવશું. વધુમાં છત્તીસગઢમાં ક્યાકને ક્યાક કોંગ્રેસ ઉણી ઉતરી હોવાનું કોંગ્રેસ નેતાએ સ્વીકાર્યું હતું અને છત્તીસગઢમાં જનતાનો ચૂકાદો અમે સ્વિકારીએ છીએ. મધ્યપ્રદેશમાં અમને વધુ અપેક્ષા હતી. જાેકે મધ્યપ્રદેશમાં કાર્યકર્તાઓ મજબૂતીથી લડ્યા તેનો રાજીપો છે. હવે અમે મજબૂત વિપક્ષ તરીકે કામ કરશુ. તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું.

Related Posts