સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રહેતા લોહાણા સમાજના હીરાબેન બટુકભાઈ મસરાણી ઉંમર વર્ષ ૭૦ પોતાના મકાનની ગેલેરીમાંથી સવારમાં ગાયને એઠવાડ નાખવા જતા મકાનની ગ્રીલ તૂટી પડતા વૃદ્ધા નીચે પડી જતા ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ હતા તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરતા તેમજ 108 આવી જતા સ્થળ પર મૃત્યુ પામેલ છે. જેની તપાસ મનસુખભાઈ સોલંકી કરી રહ્યા છે ત્યારબાદ પીએમ અર્થે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મકાનના બીજા માળની ગેલેરીમાંથી ગાયને એઠવાડ નાખવા જતા ગ્રીલ તૂટી જતા વૃદ્ધા નીચે પડી જતા મોત.

Recent Comments