સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત અને સિપાહી જમાતના હોદેદારોની વરણી
સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાત અને સુન્ની મુસ્લિમ જમાતના વિવિધ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ અંગેના મળતાં અહેવાલ કે સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતની કારોબારીની એક મીટીંગ મુસ્લિમ સિપાહી જમાતના પ્રમુખ હાજી દિલાવરભાઈ ભટ્ટીના અધ્યક્ષ સ્થાને એક અગત્યની મીટીંગ મળી હતી. જેમાં સિપાહી સમાજના વિકાસ પ્રગતિ અને સિપાહી સમાજના હિત માટે ઊંડાણપૂર્વક વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વિચારણા વિમર્શ કર્યા બાદ સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત ઉપપ્રમુખ પદે નાસિરભાઈ ચૌહાણે આપેલા રાજીનામાંથી ખાલી પડેલ જગ્યાએ તેમજ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવે પણ આપેલા રાજીનામા તેમની જગ્યા ઉપર સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઉપપ્રમુખ નવા હોદેદારોની નિયુક્તિ કરવાનું સર્વાનુમતે વરણી કરવાનું નક્કી કરવામાં આવેલ હતું
જેમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ તરીકે વસીમભાઈ યુનુસભાઈ મલેક. અને ઉપપ્રમુખ તરીકે નીડર નિષ્ઠાવાન અને અનુભવી પત્રકાર ઈકબાલ ગોરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ વસીમભાઈ મલેક.ઉપપ્રમુખ ઈકબાલ ગોરીની વરણીથી મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર ફેલાઈ હતી તેમજ મુસ્લિમ સિપાહી જમાતના ઉપપ્રમુખ પદે એડવોકેટ જુબેરભાઈ ચૌહાણ બીજા ઉપપ્રમુખ તરીકે હાજી જાહિદભાઈ જાદવની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી તેમજ સિપાહી જમાતમાં નિવૃત એ.એસ.આઈ. યુસુફભાઈ કુરેશી. નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુનુસભાઈ જાદવ.પત્રકાર ફારૂકભાઈ કાદરી.અક્રમભાઈ પઠાણ . તોફિકભાઈ કુરેશી. રાજેભાઈ ચૌહાણ.સિપાહી જમાત માં સભ્ય તરીકે વરણી કરેલ હતી આ સિપાહી જમાતની મીટીંગનું સુંદર મજાનું સંચાલન સિપાહી જમાતના સેક્રેટરી અયુબભાઈ ચૌહાણે કરેલ હતી
Recent Comments