રાષ્ટ્રીય

૧ એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો, ૮૦૦ દવાઓ મોંઘી થશે

વધતી જતી મોંઘવારી વચ્ચે જનતાને વધુ એક આંચકો લાગવા જઈ રહ્યો છે. ૧લી એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. આમાં પેઇનકિલર્સથી લઈને એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના ખિસ્સા પરનો બોજ વધુ વધશે. આવશ્યક દવાઓની વાત કરીએ તો, તેમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ અને ૮૦૦ હૃદયની દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ ૧ એપ્રિલથી વધવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, સરકાર વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (ઉઁૈં) માં ફેરફારને અનુરૂપ ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

મળતી માહિતી મુજબ, વધતી મોંઘવારીને જાેતા ફાર્મા ઉદ્યોગ દવાઓની કિંમતો વધારવાની માંગ કરી રહ્યો હતો. સરકાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (ઉઁૈં) માં વાર્ષિક ફેરફારને અનુરૂપ, .૦૦૫૫% ના વધારાને મંજૂરી આપવા તૈયાર છે. ગયા વર્ષે અને ૨૦૨૨ માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (દ્ગન્ઈસ્) હેઠળ દવાઓના ભાવમાં ૧૨% અને ૧૦% નો વિક્રમી વાર્ષિક વધારો કર્યા પછી, ફાર્મા ઉદ્યોગ માટે આ એક સામાન્ય વધારો હશે. સમાયોજિત કિંમતો રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિમાં સમાવિષ્ટ ૮૦૦ થી વધુ દવાઓને આવરી લેશે. સુનિશ્ચિત દવાઓના ભાવમાં વર્ષમાં એકવાર ફેરફાર કરવાની મંજૂરી છે.

આવશ્યક દવાઓ વિષે પણ જણાવીએ, તે દવાઓ આ સૂચિમાં શામેલ છે. જે મોટાભાગના લોકો માટે ઉપયોગી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દવાઓની કિંમત સરકારના નિયંત્રણમાં છે. આ દવાઓની કંપની એક વર્ષમાં આ દવાઓની કિંમતમાં માત્ર ૧૦ ટકાનો વધારો કરી શકે છે. આ યાદીમાં કેન્સર વિરોધી દવાઓ પણ સામેલ છે. અમુક દવાઓના જે દરો વધશે જે વિષે જણાવીએ, આવશ્યક દવાઓની સૂચિમાં પેરાસિટામોલ જેવી દવાઓ, એઝિથ્રોમાસીન જેવી એન્ટિબાયોટિક્સ, એનિમિયા વિરોધી દવાઓ, વિટામિન્સ અને ખનિજાેનો સમાવેશ થાય છે. કોવિડ-૧૯ના મધ્યમથી ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ અને સ્ટેરોઇડ્‌સ પણ યાદીમાં છે.

ઉદ્યોગ ભાવમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી રહ્યો છે કારણ કે તે વધતા ઈનપુટ ખર્ચથી ઝઝૂમી રહ્યો છે. ભાવ કેમ વધશે જે વિષે જણાવીએ, ઉદ્યોગના નિષ્ણાતોના મતે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, કેટલાક મુખ્ય સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોની કિંમતો ૧૫% થી ૧૩૦% ની વચ્ચે વધી છે, જેમાં પેરાસિટામોલની કિંમતમાં ૧૩૦% અને સહાયકની કિંમતમાં ૧૮-૨૬૨%નો વધારો થયો છે. ગ્લિસરીન અને પ્રોપીલીન ગ્લાયકોલ સહિત સોલવન્ટ્‌સ, સિરપ અનુક્રમે ૨૬૩% અને ૮૩% મોંઘા થયા છે. ઇન્ટરમીડિયેટ્‌સના ભાવમાં પણ ૧૧% થી ૧૭૫% ની વચ્ચે વધારો થયો છે. પેનિસિલિન જી ૧૭૫% મોંઘું થયું છે. આ અગાઉ, ૧,૦૦૦ થી વધુ ભારતીય દવા ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતા લોબી જૂથે પણ તાત્કાલિક અસરથી તમામ સૂચિત ફોર્મ્યુલેશનના ભાવમાં ૧૦% વધારો કરવાની મંજૂરી આપવા સરકારને વિનંતી કરી હતી. તેણે નોન-શિડ્યુલ દવાઓના ભાવમાં ૨૦% વધારો કરવાની પણ માંગ કરી હતી.

Related Posts