ગુજરાત

મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે અમદાવાદની સાબરમતી નદીની હાલત ખરાબ

અમદાવાદની સાબરમતી નદીને જીવનદાયિની નદી માનવામાં આવે છે, પરતું આ અમદાવાદ મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે હાલ આ જીવનદાયિની નદીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. સાબરમતીના આવા હાલ પાછળ જાે કોઈ જવાબદાર હોય તો તે કેમિકલમાફિયાઓ છે.

લોકોનો આક્ષેપ છે કે સાબરમતી નદીમાં કેમિકલ તેમજ ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં પ્રદૂષિણની સાથે ગંદકીથી ભરપૂર થઈ ગઈ છે. નદીમાં સફાઈ ન થતી હોવાનો પણ સ્થાનિકોની ફરિયાદ છે. તો હાઇકોર્ટની ફટકાર બાદ પણ કોર્પોરેશન અને ય્ઁઝ્રમ્ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે સાબરમતીની સફાઈ પાછળ કરોડોના ખર્ચાના જે બણંગા ફૂંકવામાં આવે છે.

Related Posts