ભાવનગર

૨૪મી જુલાઇના રોજ મામલતદાર કચેરીઓ ખાતે ‘તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે

જુલાઇ-૨૦૨૪નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૪ (બુધવાર)ના રોજ મામલતદાર કચેરીઓ ખાતે યોજાશે. જેમાં જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા ગારીયાધાર ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી જેસર ખાતે તથા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ વલ્લભીપુરના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનો સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત,જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાના પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજૂ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

Related Posts