ગુજરાત

રાજકોટ મનપાના લોકદરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા

રાજકોટ મહાનગરપાલિકાનો ‘મેયર તમારે દ્વાર’ લોકદરબાર આજે યોજાયો હતો. જાે કે આ લોકદરબારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની શાબ્દિક ટપાટપી જાેવા મફ્રી. લોકોના પ્રશ્નોની રજૂઆત અને તેના નિરાકરણ માટે મફ્રેલા લોકદરબારમાં જ્યારે એક મહિલાએ તેમના વિસ્તારના રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વિશે રજૂઆત કરતા પૂર્વ મેયર પ્રદિપ ડવે તેમને મર્યાદામાં રહેવાની ટકોર કરી. મહિલા સાથે અપમાનજનક ભાષામાં વાત કરતા કોંગ્રેસના આગેવાનો વિફર્યા હતા. પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહે મહિલા વતી રજૂઆત કરી.

કનકસિંહ ટેબલ પર ચડી ગયા અને મેયરને જણાવ્યુ કે મર્યાદામાં રહેવાનુ કહો છો, પણ પહેલા પ્રશ્નોનું તો નિરાકરણ લાવો. કનકસિંહે જણાવ્યુ કે માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકરો જ આગફ્ર બેસીને પ્રશ્નો પૂછે છે, જ્યારે લોકોની સમસ્યા જાણવા માટે લોકદરબાર યોજ્યો હોય તો લોકોનુ નહીં સાંભફ્રો તો કોનુ સાંભફ્રશો. વોર્ડ નંબર ૧૨ના ભાજપના આગેવાનો, હોદ્દેદારો લોકદરબારમાં આગફ્ર જઈને લોકોને પાછફ્ર ધકેલતા હતા. આથી કનકસિંહે ટેબલ પર ચડી જઈ સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયરને રજૂઆત કરી કે તમે લોકોને કેમ સાંભફ્રતા નથી. જાે કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની રજૂઆતને પણ ધ્યાને લેવાઈ નહીં અને પ્રજાએ સમસ્યાઓ મુદ્દે સવાલો કરતા નેતાઓએ લોકદરબારમાંથી ચાલતી પકડી હતી. લોકોનો રોષ જાેઈને મેયરે અડધો કાર્યક્રમ મુકીને ચાલતી પકડી હતી. પ્રજાની સમસ્યા જાણવા માટે ‘મેયર તમારે દ્વાર’ લોકદરબારનો યોજાયો. જ્યાં લોકોએ નેતાઓને સવાલ કરતા, જવાબ આપવાને બદલે ચાલતી પકડવા લાગ્યા.

Related Posts