ભાવનગર તાલુકાના પ્રજાજનો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે સપ્ટેમ્બર-૨૦૨૪ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.૨૫/૦૯/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,વિદ્યાનગર, ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાનાપ્રશ્નો હોય તે તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર મામલતદાર કચેરી ખાતે ૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે

Recent Comments