સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ એક પેડ માં કે નામ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય મથકોએ અધિકારીઓ,શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ ગ્રીન ગુજરાતની વિભાવનાને સાર્થક કરવા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પોતાની ભાગીદારી નોંધાવી હતી.
‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના તાલુકા- ગ્રામ્ય મથકોએ વૃક્ષારોપણ કરાયું

Recent Comments