fbpx
ભાવનગર

પાલિતાણામાં ૫ ઓકટોબરના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

સમગ્ર રાજયમાં જીલ્લાની પ્રત્યેક નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે સંવેદના દિન “સેવા સેતુ” કાર્યક્રમ ઉજવણી કરવાની સુચના થયેલ છે. જે અન્વયે પાલિતાણા નગરપાલિકાનો વોર્ડ નં ૬,૭,૮,૯નો સેવાસેતુ કાર્યક્રમ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ, ટાઉન હોલ પાલિતાણા ખાતે તા.૦૫/૧૦/૨૦૨૪ ને શનિવારનાં રોજ સવારનાં ૯.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ચીફ ઓફિસરશ્રી વર્ગ – ૧, પ્રાદેશિક કમિશ્નરશ્રી ની કચેરી, નગરપાલિકાઓ ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે.

પાલિતાણા નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં. ૬,૭,૮,૯ નાં લોકો માટે જેમા આવક, જાતી, નોન કિમીલેયર,
ડોમીસાઇલ સર્ટી. સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડ ને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોંધણી, જમીન અંગે નવી નોંધ દાખલ અરજી સુધારા અરજી વિધવા, વયવંદના, અપંગ વૃધ્ધ – નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી તથા પાલિતાણા નગરપાલિકાની સેવાઓ જેમ કે પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા, જન્મ મરણ દાખલા, ટાઉન પ્લાનીગ પ્લાનની નકલ, વ્યવસાય વેરા વિગેરે તથા રાજય સરકારશ્રીનાં કૃષિ, પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળના વ્યકિત લક્ષી લાભો, વધુમાં હાલમાં સરકારશ્રી દવારા વ્યવહારો ડીઝીટલ પેમેન્ટ દવારા વધુમાં વધુ થાય અને શ્રમજીવિઓનાં બૈકમાં ખાતા ખોલવા તેમજ ડીઝીટલ નાણાકીય વ્યવહારો કેવી રીતે સરળતાથી અને સુરક્ષિત રીતે થઇ શકે વિગેરે લગતી તમામ અરજીઓ વગેરેની લગતી તમામ બાબતે તા. ૦૫/૧૦/૨૦૨૪ ને શનિવારનાં રોજ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ, ટાઉન હોલ પાલિતાણા ખાતે કાર્યક્રમ સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી રહેશે. તેમાં અરજીઓ બપોરનાં ૨.૦૦ કલાક સુધી જ સ્વીકારવાની આવશે અને આવી અરજીઓને લગત વિભાગો માં સંબધિત અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે તો નિયત સમયે પાલિતાણા શહેર વિસ્તારનાં વોર્ડ નં. ૬,૭,૮,૯ નો સેવાસેતુ કાર્યક્રમમા લોકો એ ઉપસ્થિત રહેવા ચીફ ઓફિસર પાલિતાણા નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts