fbpx
રાષ્ટ્રીય

ભારતના વલણને કારણે ટ્રૂડો બેકફૂટ પર, કાચંડો ના જેમ રંગ બદલ્યોકેનેડાના પીએમએ વન ઈન્ડિયા પોલિસીની વાત કરી

કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણપણે સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે ઃ જસ્ટિન ટ્રૂડો
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો કાચંડીની જેમ રંગ બદલી રહ્યા છે. પહેલા તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને હવે ભારતના સ્ટેન્ડ પછી તેણે વન ઈન્ડિયા પોલિસીની વાત કરી. ટ્રૂડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણપણે સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે. પરંતુ ઓટાવા પર હુમલો કરીને દિલ્હીએ આપણી લોકશાહીની અખંડિતતાને નબળી પાડી છે. ટ્રૂડોના આ નિવેદન બાદ હવે કડવાશ ઘટવાને બદલે વધી રહી છે. હકીકતમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ટ્રૂડોના આરોપો પછી, ભારતે ૬ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. તેણે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા ખેંચવાની પણ જાહેરાત કરી હતી. આ રીતે બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.

પીએમ ટ્રૂડોએ કહ્યું કે અમે ભારતની એકતાનું સન્માન કરીએ છીએ. કેનેડામાં ઘણા લોકો અલગતાવાદની વાત કરે છે પરંતુ અમે વન ઈન્ડિયા પોલિસીનું સન્માન કરીએ છીએ. ભારતે સતત અમારી ટીકા કરી છે. મીડિયા દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો છે. ટ્રૂડોએ કહ્યું કે મહત્વપૂર્ણ ભાગીદાર હોવાના કારણે અમે ભારત સાથે ઝઘડો કરવા માંગતા નથી. અમારી વચ્ચે ગાઢ સંબંધો અને લાંબો ઈતિહાસ છે. અગાઉ વડા પ્રધાન ટ્રૂડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યા કેસમાં ભારતને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. કેનેડાના પીએમે કહ્યું કે અમે ભારતને માત્ર ગુપ્ત માહિતી આપી હતી અને કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. ટ્રૂડોના આ કબૂલાત પર ભારતે આકરો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે ટ્રૂડોએ એ જ કહ્યું જે અમે સતત કહીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/