ખેડૂતો છેલ્લા ૧૧ મહિનાથી શંભુ બોર્ડર પર તેમની માંગણીઓને લઈને ઉભા હતા, પરંતુ હવે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે. જાેકે, ખેડૂતો પાસે આ માટે પરવાનગી નથી. જેને ધ્યાનમાં રાખીને પોલીસે પણ નક્કર બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે બોર્ડર પર બેરિકેડ લગાવી દીધા છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે આજે પ્રથમ બેચમાં ૧૦૧ ખેડૂતો આગળ વધશે. ખેડૂતો લાંબા સમયથી સ્જીઁની કાયદેસર ગેરંટી માંગી રહ્યા છે. ખેડૂત નેતા તેજવીર સિંહે જણાવ્યું કે હાલમાં ૧૦૧ ખેડૂતો પાઠમાં બેઠા છે, જે પ્રથમ બેચમાં આગળ વધશે. જ્યારે ખેડૂત સ્વયંસેવકો રસ્તાની બંને બાજુએ હાજર છે, જે પોલીસ કાર્યવાહીના કિસ્સામાં ઘાયલ ખેડૂતોને મદદ કરશે.
વ્યવસ્થા કરવા માટે સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. શંભુ બોર્ડરથી દિલ્હી તરફનો રસ્તો છેલ્લા ૧૧ મહિનાથી બંધ છે. પોલીસે ૧૩ ફેબ્રુઆરીએ આ રસ્તો બંધ કરી દીધો હતો. આ ઉપરાંત હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળો પણ તૈનાત છે. ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાતને ધ્યાનમાં રાખીને અહીં ફરી એકવાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અને સમગ્ર માર્ગને સીલ કરી દેવામાં આવ્યો છે. સરહદ પર સૈનિકોની તૈનાતીની સાથે વહીવટીતંત્રે અહીં વોટર કેનન વાહનો, પોલીસ બસો અને એમ્બ્યુલન્સ પાર્ક કરી છે. પોલીસ દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. દિલ્હી તરફ કૂચ કરતા પહેલા ખેડૂતોએ શંભુ બોર્ડર પર પ્રાર્થના કરી હતી. ૧૦૧ ખેડૂતોએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો પાઠ કર્યો. જે ખેડૂતો આજે દિલ્હી જઈ રહેલા જૂથનો ભાગ છે તેઓએ આ પાઠમાં ભાગ લીધો. ૧૦૧ ખેડૂતો બપોરે ૧ વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ખેડૂતોએ તેમની ૧૨ માંગણોઓ રજૂ કરી છે. જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (સ્જીઁ)ની કાયદાકીય ગેરંટી અને લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા લોકો માટે ન્યાય મુખ્ય છે. ડીએપી ખાતરની અછત દૂર કરવી જાેઈએ, ખેડૂતોની લોન માફ કરવી જાેઈએ અને તેમને પેન્શન આપવું જાેઈએ. આ ઉપરાંત ખેડૂતોની પણ માંગણીઓ છે, હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું- શું ખેડૂતોએ મંજૂરી લીધી છે? તેમને પરવાનગી વિના દિલ્હી જવાની મંજૂરી આપી શકાય નહીં તમે કોઈ ઈવેન્ટ માટે ત્યાં જઈ રહ્યા છો અને તમારે મંજૂરી લેવી પડશે.
Recent Comments