ભાવનગર

તળાજાના રોયલ ગામ ખાતે  પ્રા. શિક્ષકોની તાલીમ યોજાઇ

તળાજા તાલુકાની તાલુકા કક્ષાની અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1/2 તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રોયલ પ્રાથમિક શાળા ખાતે તળાજા તાલુકાના ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષક બહેનો ભાઈઓને ગુજરાતી અને ગણિત અધ્યયન સંપુટ કામગીરી અન્વયે નીપણ ભારત મિશન,NCERT અને SSA દ્વારા બાબતે બે દિવસની બીન નિવાસી તાલીમ આપવામાં આવી..જેમાં તજજ્ઞો દ્વારા ખૂબ જ તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું. તેમજ BRC પરેશભાઈ તળાજાએ પણ ઉપસ્થિત રહીને તાલીમ વિશે સરસ માહિતી પૂરી પાડી હતી. આવતા દિવસોમાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરાવતા શિક્ષકોની તાલીમ યોજાનાર છે.

Related Posts