બાકીદારોને મુંબઈ મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ – ૧૯૫૮ની જોગવાઈઓ હેઠળ નોટીસ આપવામાં આવે છે કે, તમારું વાહન ઉક્ત કાયદાની કલમ-૧૨ બી હેઠળ ડીટેઈન કરેલ છે અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લ્હેણી રકમ કોલમ-૪ મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લ્હેણી રકમ ભરવા આપ દ્વારા દરકાર કરેલ નથી. કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસાર તા.૦૭-૦૨-૨૦૨૫ સુધીમાં લ્હેણી રકમ ભરીને વાહન છોડાવી જવા આખરી તક આપવામાં આવે છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહીં અને તેમ કરવામાં કસુર થશે તો વાહન રાજ્યસાત કરી વાહનોની હરાજી વેચાણ કરી બાકી લહેણી રકમ વસુલવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી. બાકી લ્હેણીની રકમ ભરવાના દિવસે અર્ઘતન સ્થિતિ મુજબ નિયમોનુસારનું વ્યાજ તથા દંડનું મુલ્યાંકન કરીને કર, દંડ અને વ્યાજની વસુલાત કરવામાં આવશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લ્હેણી રકમ તા.૭મી ફેબ્રુઆરી,૨૦૨૫ સુધીમાં ભરીને વાહન છોડાવી જવાની આખરી તક


















Recent Comments