ગુજરાત

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ ૭૩ છછની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩ છછની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ વતી વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

મંત્રી શ્રી રાજપૂતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂન ૨૦૦૬માં આદિવાસી સમાજના હિતમાં જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩ છછ હેઠળ કલેકટર અને ડ્ઢર્ડ્ઢંને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ વ્યક્તિ કલેક્ટર અને ડ્ઢર્ડ્ઢંની પરવાનગી વિના જમીન અન્યને વેચાણ કરે તો તેને પરત મળે છે અને વેચાણ કરનારને સજા પણ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૭૩ છછની તમામ પ્રક્રિયા ર્ૈંઇછ અંતર્ગત ઓનલાઈન કરવામાં આવી છે જેના પરિણામે સમગ્ર પ્રક્રિયા વધુને વધુ પારદર્શી બની છે.મંત્રીશ્રીએ પૂછાયેલા પેટા પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા કહ્યું હતું કે, ૭૩ છછની અંતર્ગત આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જેમાં સહકારી પ્રવૃત્તિઓ,ઔદ્યોગિક હેતુ, પેટ્રોલ પંપ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા જમીન આપવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ હાઇટેક સીસીટીવી નેટવર્કની મદદથી ચોરીના વાહન કે ગુન્હામાં સંડોવાયેલા વાહન જાે આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થાય તો તેનું ઇીટ્ઠઙ્મ ્‌ૈદ્બી ટ્ઠઙ્મીિં સંબંધિત જિલ્લાના ‘નેત્રમ’ માં મળશે. સમગ્ર રાજ્યના શહેરોની અંદર અને રાજ્યની સરહદો પર સી.સી.ટી.વી. કેમેરા લાગી જશે ત્યારે વિશ્વાસ સીસ્ટમ રાજ્યની સુરક્ષા માટે સુદર્શન ચક્ર બની જશે.

Follow Me:

Related Posts