ગુજરાત

કડી તાલુકાનાં નારોલા ખાતે રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા મુખ્યમંત્રી

સમૂહ લગ્નએ આજનાં સમાજ અને સમયની માંગ છે ઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા – ડાભી – રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત ૩૦મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર, પાઘડી, તલવાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ નવદંપતીઓને શુભઆશિષ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શનમાં ગુજરાતે તમામ સમાજના વર્ગોને સાથે રાખીને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજનો દિવસ રાજપૂત સમાજની સંપ, શક્તિની ઉજવણી કરવાનો અવસર છે. જ્યારે પ્રસંગ સામૂહિક અવસર બને ત્યારે સમાજનું સ્નેહબંધન બની રહે છે. સમૂહ લગ્નએ આજનાં સમાજ અને સમયની માંગ છે. રાજપૂત સમાજની વૈભવશાળી સંસ્કૃતિ રહી છે. સમાજ સામાજિક એકતા, સંપ અને સહયોગથી આવા આયોજનોમાં ઉત્તરોત્તર સફળતા મેળવે છે. રાજપૂત સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રખિયાલ ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, જયરાજસિંહ પરમાર, બળવંતસિંહ ડાભી, ભગાજી ઠાકોર, કિરપાલસિંહજી ચાવડા, પૂર્વ ધારાસભ્ય કનુસિંહ ડાભી, અશ્વિનસિંહ ચાવડા, દિલીપસિંહ ડાભી, ભૂપેન્દ્રસિંહ ચાવડા, હઠીસિંહ ડાભી સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યમાં ઉપસ્થિત લોકોએ મુખ્યમંત્રીની હાજરીમાં બેટી બચાવો, બેટી પઢાઓ અને સામાજિક ઉત્થાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

Related Posts