અમરેલી

વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ સ્વામી શ્રી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલા વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ સાવરકુંડલા નિર્દોષાનંદજી આશ્રમ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં ભક્તો દ્વારા ૫૦૦ બોટલ રક્તદાન કરવામાં આવેલ તેમાં ટીમ્બી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને બ્લડ પૂરું પાડવામાં આવેલ તેમજ અમરેલી વેદ બ્લડ બેન્ક ને ૬૫ બોટલ બ્લડ આપવામાં આવેલ તે બદલ ગુરુ શ્રી તેમજ તમામ રક્તદાતા પ્રત્યે ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા સામાજિક અગ્રણી લલિતભાઈ ઠુંમરે જણાવ્યું હતું રક્તદાન પ્રવૃત્તિ માટે ખૂબ સક્રિય રીતે કામગીરી કરતા અમરેલી જિલ્લા ડાયમંડ એશો ના મોભી લલિતભાઈ ઠુંમર દ્વારા અમરેલી જિલ્લા માં રક્તદાન ની જરૂરિયાત અને ક્ષમતા બાબતે ખૂબ સજાગ રહે છે રક્તદાન કેમ્પ યોજી હદયસ્પર્શી અપીલો કરી સ્વૈચ્છિક રક્તદાન નો સુંદર સદેશ આપ્યો હતો સામાજિક પ્રસંગો ધાર્મિક પ્રસંગો સારા નરહા પ્રસંગો માં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજી માનવ સમાજ માટે ઉપીયોગી બનતા રહો નો સદેશ આપ્યો હતો

Related Posts