ગુજરાત

સુરત શહેર વરાછા પો.સ્ટે. વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરાસાથે પકડી પાડી, વરાછા પો.સ્ટે. નો અપહરણનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી

એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ગુનાઓઆચરી ભાવનગર રેન્‍જના જિલ્લા વિસ્તારમાં રહેતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલીજીલ્‍લા તેમજ બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડટાળવા અમરેલી જિલ્લા વિસ્તારમાં રહેતા ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્‍લાપોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ રાજુલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગદરમિયાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને સગીરા સાથે પકડી પાડી,મજકુરની સઘન પુછ પરછ કરી, ખરાઇ કરતા સુરત શહેરના વરાછા પોલીસ
સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો દાખલ થયેલ હોવાની હકિકત મળતા, મજકુરઆરોપીને પકડી પાડી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન હવાલે કરવા તજવીજકરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ-સુરેશ ભોળાભાઇ સાંખટ, ઉ.વ.૨૧, રહે.સુરત, વરાછા, આદર્શનગર, તા.જિ.સુરત.
 વરાછા પો.સ્ટે. (સુરત શહેર)ના ગુનાની વિગતઃ- ગઇ તા.૨૭/૦૩/૨૦૨૫ નાં રોજ ગૌરીબેન દેવાભાઇ તોમર, રહે.સુરત, વરાછા,આદર્શનગર તા.જિ.સુરત ની દીકરી ઉ.વ.૧૬ વાળીનું કોઇ અજાણ્યો ઇસમઅપહરણ કરી લઇ ગયેલ હોય, જે અંગે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ જાહેરકરતા સુરત શહેર વરાછાપોલીસ સ્ટેશનમાં ગુના રજી. નંબર૧૧૨૧૦૦૬૦૨૫૦૯૭૫ /૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૩૭(૨) મુજબ ગુનો રજી.થયેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓનીસુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રીવી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. ભીખુભાઇ ચોવડીયા તથા હેડ કોન્‍સ. મહેશભાઇરાઠોડ, જયેન્દ્રભાઇ બસીયા, ગોકળભાઇ કળોતરા તથા પો.કોન્‍સ. પરેશભાઇ દાફડા,અજયભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts