અમરેલી

ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા મોદીએ સોગાત ઇદ કિટ નુ વિતરણ સુરત ખાતે કરાયું 

દામનગર  સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા મોદીએ સોગાત ઇદ કિટ નુ વિતરણ કરાયું ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્રારા સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેરાત કર્યા મુજબ રમજાન ઇદ કિટ નુ વિતરણ કરાયું હતું ગુજરાત મોરચા પ્રમુખ અને ગુજરાત વકફ બોર્ડ ના અધ્યક્ષ ડો.મોહસીન લોખડવાલા સાહેબ સુરત શહેર મોરચા પ્રમુખ મોહસીન મિર્ઝા દામનગર ના પ્રતિષ્ઠિત મુસ્લિમ વ્યાપારી અગ્રણી રફીક હુનાણી વરદહસ્તે અસંખ્ય કિટો નુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યાસીનભાઇ એન જી ઓ યુનુસભાઇ મેમણ સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં આ તકે ડો.લોખંડવાલા સાહેબે મિડિયા અને પત્રકારોને જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દેશના મુસ્લિમ સમાજ ખુશી સાથે પોતાના પર્વ ની ઉજવણી કરી શકે તે હેતુથી સોગાત એ ઇદ કિટ ની કરેલ જાહેરાત મુજબ પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા આ કિટો નો વિતરણ કરવામાં આવી રહ્યું છે  ગુજરાત ભરમાં મોરચા ના પદાધિકારીઓ દ્વારા કિટો નુ વિતરણ કરાઇ રહ્યું છે 

આ તકે તેઓએ કહ્યું કે ઇદ ની ઉજવણી ભાઈચારા સોહાદપુર્ણ થાય અને રાષ્ટ્ર ના વિકાસ માં આપણે સૌ સહભાગી બનીએ તેવી નમ્ર અપીલ સાથે ગુજરાત ના તમામ મુસ્લિમ બિરાદરો ને એન્ડવાસ મા ઇદ મુબારક પાઠવ્યા હતા

Related Posts