અમરેલી

સંભવિત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ની અલ્પાકૃતિ ટેબ્લો નું તા.૧૧ ને શુક્રવારે અનાવરણ લોકદર્શન માટે ખુલ્લું મુકાશે

દામનગર સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નું નવ નિર્માણ પૂર્વે સંભવિત નવીનીકરણ બાદ દાદા નું મંદિર કેવું બનશે ? તેની અલ્પઆકૃતિ નું અનાવરણ ચેત્રી પૂનમ ના પાવન દીને મંદિર પરિસર માં લોકદર્શન માટે ખુલ્લું મુકાશે તા ૧૧/૦૪/૨૫ ના સવારે ૯-૦૦ કલાકે સંભવિત દાદા ના દરબાર કેવો ભવ્ય અને દિવ્ય બનશે તેનો ટેબ્લો લોકદર્શન માટે અનાવરણ કરાશે અનેક સુવિધા સભર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના શુભ સંકલ્પ પૂર્વે મંદિર પરિસર ની અલ્પાકૃતિ ના દર્શન કરવા શ્રધ્ધાળુ ભાવિકો ને જાહેર આમંત્રણ પાઠવતા મંદિર પ્રશાસન દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી સંભવિત નૂતન ના દર્શન માટે અનુરોધ કરાયો છે 

Related Posts