માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ના કેન્દ્ર નં.૦૫-વીરડી પ્રા.શાળા, કેન્દ્ર
નં.૩૫-પીપળવા પ્રા.શાળા તથા કેન્દ્ર નં.૪૫ મોટી વાવડી કુમાર શાળાના મ.ભો.યો. કેન્દ્રો ખાતે સંચાલકોની ભરતી
કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ૨૦ થી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ
તા.૨૬/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. ત્રણેય કેન્દ્રોમાં નિમણૂકની એક જ જગ્યા છે. સ્થાનિક
વિધવા મહિલા ઉમેદવારને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારિયાધાર,
ભાવનગર ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર શ્રી ગારિયાધારની યાદીમાં જણાવાયું છે.
ગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈઉમેદવારોએ તા. ૨૯ મે સુધીમાં અરજી કરવાની રહેશે

Recent Comments