અમરેલી જિલ્લા આ વર્ષ માં વરસાદ પડેલ જેમાં ગત તારીખ ૧૬/૦૬/૨૦૨૫ ના રોજ અમરેલી જિલ્લામાં પડેલ અતિ વરસાદ નાં કારણે તેમજ ઉપરવાસ ની નદીઓ, અને નાળાના (પુર) પાણી ખેડુતોના ખેતરોના પાળા, શેઢા પાળા તોડીને ખેતરોમાં આવી જતા ખેડૂતોના ખેતરો, વાડીઓનું વ્યાપક પ્રમાણ માં ધોવાણ થવાથી ખેડૂતોને ખુબજ નુકશાન થયેલ છે. હજુ ખેડૂતો કમોસમી વરસાદ નાં કારણે થયેલ નુકશાની માંથી બહાર નથી આવ્યા ત્યારે આ અતિ ભારે વરસાદ નાં કારણે ખેતીની જમીન નું ધોવાણ થતા ખેડૂતો દ્વારા કરેલ વાવેતર સદંતર નિષ્ફળ થયેલ છે, હાલ ખેડૂતોની સ્થિતિ દયનીય બનવા પામેલ છે.અમરેલી જિલ્લા માં મોટા પ્રમાણ માં નુકશાની થયેલ છે. તેમનું સત્વરે સર્વે કરી અને નુકશાની સામેનું વળતર ચુકવવામાં આવે.તેવી માંગણી પત્ર માં કરવામાં આવી છે અને સાથોસાથ .સરકાર ને જણાવેલ છે કે, આગાઉ પણ અમરેલી જિલ્લા માં વર્ષ ૨૦૨૪ /૨૫ માં કમોસમી વરસાદ પડેલ જેમાં ખેડુતોને વ્યાપક પ્રમાણ માં નુકશાન થયેલ તે અંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પર પણ બેસેલ હતા. ત્યારે ઉપ દંડક અને અમરેલી નાં ધારાસભ્યશ્રી એ કૃષિમંત્રીશ્રી નાં તા.૨૩-૧૦-૨૦૨૪ ના પત્રને આ નેતા દ્વારા સોશ્યલ મીડિયા મારફત વાયરલ કરેલ તેમાં જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના ખેડૂતોને ટુંક સમયમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.તેવી અમરેલી નાં ખેડુતોને પત્ર મારફત હૈયાધારણા આપવવામાં આવી હતી. પરંતુ તે હૈયાધારણા મુજબ અમરેલી જિલ્લા નાં ખેડુતોને આજદિન સુધી સહાય મળેલ નથી ત્યારે “પડ્યા પર પાટું” જેવી સ્થિતિ આજે અમરેલી જિલ્લા નાં ખેડૂતો પર થઈ રહી છે. ત્યારે સરકાર અમરેલી જિલ્લા નાં ખેડૂતોની વ્હારે આવશે કે કેમ ? અગાઉ ની માફક માત્ર હૈયાધારણા આપશે? કે ખેડૂતો ની સંવેદના સાથે રમત રમશે ? તેવા સવાલો આજે ખેડૂતોના મનમાં થઈ રહ્યા છે,
અમરેલી જિલ્લા માં થયેલ અતિ ભારે વરસાદ નાં કારણે ખેડૂતો નાં વાવેતર કરેલ પાકો તેમજ જમીન ધોવાણ નો સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા પ્રતાપ દુધાત

Recent Comments