અમરેલી

અમરેલી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા તા.૩૦ જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

અમરેલી તા.૧૮ જૂન, ૨૦૨૫ (બુધવાર) ધો.૦૮ પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ અભ્યાસક્રમ શરુ છે. આ અભ્યાસક્રમમાં તાલીમ મેળવવા ઇચ્છુકો માટે તા.૩૦.૦૬.૨૦૨૫ સુધી પ્રવેશ પ્રક્રિયા શરુ છે, પ્રવેશ માટે ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in  પર રજિસ્ટ્રેશન કરાવવું.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અમરેલી આઈ.ટી.આઈ. ખાતે હેલ્પ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. ૯૭૧૨૨ ૭૯૭૨૭ વોટ્સએપ નંબર પર પોતાના ડોક્યુમેન્ટ મોકલાવી ઘરબેઠા પણ ફોર્મ ભરી શકશે.  

આઈ.ટી.આઈ.માં તાલીમાર્થીઓને એસ.સી, એસ.ટી, મહિલા, દિવ્યાંગ વર્ગના તાલીમાર્થીઓ અને એકસ આર્મીમેનને વિના મૂલ્યે તાલીમ ઉપલબ્ધ સહિત જરુરી અનેક સુવિધાઓ મળે છે. દરેક તાલીમાર્થીને માસિક રુ.૫૦૦ લેખે શિષ્યવૃત્તિની જોગવાઈ છે. દૂરથી આવતા તાલીમાર્થીઓને બસ પાસની સુવિધા, મહિલા તાલીમાર્થીઓને વિદ્યાસાધન સહાય યોજના હેઠળ સાઇકલ સહાય મળશે. ધો. ૦૮ પાસ વિદ્યાર્થીઓ ૦૨ વર્ષનો કોર્સ કરે તો ધો.૧૦ પાસ સમકક્ષ અને ધો.૧૦ પાસ વિદ્યાર્થી ૦૨ વર્ષનો કોર્સ કરે તો ધો.૧૨ સમકક્ષનો લાભ મળશે.

રોજગારી તેમજ સ્વરોજગારી માટે બેંકેબલ સબસિડી, નિર્દિષ્ટ વ્યવસાયમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્ષમાં પ્રવેશ લાભ મળશે. તાલીમ પૂર્ણ કર્યા બાદ જરુરી એપ્રેન્ટિશીપ તરીકે વ્યાવસાયિક એકમોમાં જોડાવવાની તક મળશે.

તાલીમાર્થીઓને ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ રુ.૦૪ લાખ સુધીની રકમનું વીમા કવચ પણ મળવાપાત્ર છે. વધુમાં વધુ ઉમેદવારોને આ અભ્યાસક્રમનો લાભ લેવા અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના  આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts