અમરેલી

માધવપુર ધેડ પંથક માં પરમાર્થ ટ્રસ્ટ સુરત આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નોટબુક અને યુરો ફ્રુડ ઇન્ડિયા પ્રા.લી થેલા વિતરણ કરાયા

ગીર સોમનાથ માધવપુર ધેડ પંથક માં સુરત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ ના અરવિંદભાઈ જીવાણી મનીષભાઈ જીવાણી પરિવાર ની ઉદારતા એ માધવપુર ધેડ પંથક માં પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓને નોટબુક ચોપડા વિતરણ અને યુરો ફ્રુડ ઇન્ડિયા પ્રા.લી ના મનહરભાઈ સાંસપરા તરફ થી થેલા વિતરણ પરમાર્થ ટ્રસ્ટ અને આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે શિક્ષણ સહાય ખૂબ મોટા પ્રમાણ માં નોટબુક ચોપડા થેલા વિતરણ થી વિદ્યાર્થી ઓ ખુશખુશાલ થયા હતા જીવાણી બંધુ ઓ એ નોટબુક વિતરણ દરમ્યાન સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે વિદ્યા અમૂલ્ય અને અનશ્વર છે વિદ્યા રૂપી ધન કોઈ ચોરી કે ભાગ પડાવી શકતું નથી કેળવણી ક્ષેત્રે ઉદારતા થી સખાવત કરતા યુરો ફ્રુડ ઇન્ડિયા પ્રા લી ના મનહરભાઈ સાંસપરા પરિવાર અને આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ ના જીવાણી બંધુ ની ઉદારતા બદલ ખુબ જ આભાર ની લાગણી વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ કેળવણી પ્રેમી દાતા ઓની સરાહનીય સેવાભાવના ને બિરદાવી હતી 

Related Posts