ભાવનગર

અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. અધિકારીશ્રીઓ અને
અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.
સરકારશ્રી દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે થયું હતું, જેમાં અધિકારીઓ અને અગ્રણીઓ સાથે આંગણવાડી,
પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા પરિવાર જોડાયો હતો.
સિહોર તાલુકા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેએ બાળકો માટે
વાલીઓએ સજાગ બની આંગણવાડી અને શાળા સાથે સંપર્ક વધારવા ભાર મૂક્યો હતો.
સંકલન અધિકારી રહેલાં શ્રી મહેશદાન ગઢવી અને વન વિભાગનાં વનરક્ષક શ્રી પાયલબેન પંડ્યા સાથે
મહેમાનો દ્વારા બાળકોને પ્રવેશ આવકાર આપવામાં આવેલ હતો. શ્રી લક્ષ્મણભાઈ ગોળકિયાનું અભિવાદન કરવામાં
આવ્યું હતું.
શાળા પરિવાર દ્વારા સુંદર સંચાલન આયોજન સાથે સાંસ્કૃતિક અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેજસ્વી
વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
માધ્યમિક શાળા આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદી તથા પ્રાથમિક શાળા ફરજ પરનાં આચાર્ય શ્રી કિશોરભાઈ
પટેલ અને શાળા પરિવારનાં સંકલનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી જલ્પાબેન વાળા,
અગ્રણીઓ શ્રી બાબુભાઈ મકવાણા, શ્રી મેહુરભાઈ ગોહિલ, શ્રી ત્રિકમભાઈ નાકરાણી, શ્રી વલ્લભભાઈ ચૌહાણ અને
કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts