ભાવનગર

શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને રૂા.ર (બે) કરોડની માતબર રકમ નું અનુદાન પ્રાપ્ત

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં આરોગ્યલક્ષી સેવા કાર્ય થી સંપૂર્ણ માહિતગાર અને પ્રભાવિત એવા મુ. કડી નાં વતની ગાંધીનગર સ્થિત વલ્લભભાઈ માણેકલાલ પટેલ (પ્રેસિડેન્ટ, કડી સર્વ વિશ્વવિદ્યાલય-ગાંધીનગર) કે જેઓ ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન નાં બોર્ડ ઓફ ડિરેક્ટર માં CSR ફંડ કમિટીના સ્વતંત્ર નિર્દેશક ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળે છે. જેઓનાં અથાગ પ્રયત્નો થી ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC)- નવી દિલ્હી દ્વારા ગત વર્ષના CSR ફંડમાંથી રૂા.૨,૦૦,૮૫,૦૯૯/- અંકે રૂપિયા બે કરોડ પંચાસી હજાર નવાણું પુરા જેવી માતબર રકમ નું અનુદાન હોસ્પિટલના દર્દીઓ ના લાભાર્થે મંજુર કરેલ છે. આવી માતબર રકમની સહાય આપવા બદલ ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC) નવી દિલ્હી નાં બોર્ડ ઓફ ડિરેક્ટર ના તમામ સભ્યો તેમજ હોદ્દેદારો નો હોસ્પિટલ ટૂ૨ટી મંડળ એ હૃદયપૂર્વકનો આભાર માનેલ. આ કાર્યમાં નિમિત્ત બની સંપૂર્ણ સહયોગ આપનાર વલ્લભભાઈ પટેલ (સરદાર) નું ગાંધીનગર મુકામે વહીવટકર્તા ટ્રસ્ટી / ઉપપ્રમુખ – બી.એલ.રાજપરા અને ટ્રસ્ટી – તુષારભાઈ વિરડીયા (CA) દ્વારા સદગુરુદેવ નાં ‘જીવન ચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવેલ. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.


Related Posts