ભાવનગર

જાદવજી બાપા મોજડીવાળા નામની શાળા બનશે, જગદીશ ત્રિવેદી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે

જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં સમર્થ લોકકલાકાર જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે.
આજરોજ તા.૮/૧૦/૨૫ ના રોજ સાંજણાવદર ખાતે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી ડો. ભરતસિંહ વઢેર , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અશોકસિંહ સોલંકી, બીઆરસી ગઢડા શ્રી રાજદીપસિંહ રાઓલ , શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, સાંજણાવદર સરપંચ શ્રી જીતુભાઇ બારડ તથા ગામના આગેવાનો, શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જગદીશ ત્રિવેદીએ પાર્વતીની મોજડી દ્રારા વિશ્વવિખ્યાત થયેલાં લોકકલાકાર શ્રી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવી આપવાની જાહેરાત કરી હતી.
જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એમને મંજૂરીપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો તથા બાંધકામ માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જાદવજીબાપાના સુપુત્ર અને જાણીતા હાસ્યકલાકાર શ્રી સુખદેવ ધામેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લા શિક્ષણ વિભાગ – બોટાદ તથા સમગ્ર ઘામેલીયા પરીવાર તેમજ ગ્રામજનોએ જગદીશ ત્રિવેદીનો આભાર માન્યો હતો.

Related Posts