ભાવનગર

ભાવનગરના ભૂતેશ્વર અવાણીયા રોડનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવિનીકરણ કરાયું

ભાવનગર જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર અવાણીયા
રોડની કામગીરી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદી સિઝન જતા
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ભાવનગરના ભૂતેશ્વર અવાણીયા ૩ કિ.મી. લંબાઈના રસ્તો નવિનીકરણ
કરવામાં આવ્યો છે.
વાહનચાલકોને મુશ્કેલી ના પડે એ હેતુથી આ રસ્તાની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી છે. આ રસ્તો
બનતા જ ભૂતેશ્વર અવાણીયા સહિતના ગામોની જાહેર જનતા તેનો લાભ મળશે.

Related Posts