ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા નોન- મિશન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જિલ્લાની
તાલીમ અંતર્ગત તળાજા તાલુકાના મીઠીવીરડી ક્લસ્ટરના મીઠીવીરડી ગામે વિલિંગ ફાર્મરની તાલીમનું આયોજન
કરવામાં આવ્યું હતુ.
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૫૨ ભાઈઓ તથા ૨૯ મહિલાઓ મળી કુલ- ૮૧ જેટલાં ખેડૂતોએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત,
તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. આ સાથે
પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્ત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને માહિતીગાર કરવામાં
આવ્યા હતા.
વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ- સમાધાન અને ઉકેલ વિશે વિસ્તૃતમાં ચર્ચા
કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ, શાકભાજી, ફળ
વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકે.
આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તળાજા
આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો તેમજ ગ્રામસેવક રાજુભાઈ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ
વિકાસ બોર્ડ, ભાવનગરના માસ્ટર ટ્રેનર મહેન્દ્ર કવાડ, તાલુકા પ્રોજેક્ટ મેનેજર મેહુલ સંઘાણી, ખેતી મદદનીશ વિશાલ
મકવાણા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સવિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગે
ઉદ્દભવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




















Recent Comments