ભાવનગર

શિશુવિહાર તથા ગાંધી મહેન્દ્ર ચત્રભુજ  ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી સહાય મહારાણી સાહેબ શ્રી સમયુકતા દેવીએ 200 દીકરીઓને રૂપિયા 6 લાખની શૈક્ષણિક સહાયનું વિતરણ કર્યું

ભાવનગર શિશુવિહાર તથા ગાંધી મહેન્દ્ર ચત્રભુજ  ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં યોજાયેલ કન્યા કેળવણી સહાય કાર્યક્રમ અંતર્ગત મહારાણી સાહેબ શ્રી સમયુકતા દેવીએ 200 દીકરીઓને રૂપિયા 6 લાખની શૈક્ષણિક સહાયનું વિતરણ કર્યું હતું . સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ પ્રસંગે ભાવનગરની ભૂમિથી સરદારની પ્રતિમાનું અનાવરણ કરી વિદ્યાર્થીઓને અર્પણ કરી . નઈ તાલીમની વિચારસરણી આધારિત શાળાઓની હોસ્ટેલોમાં રહીને ભણતી દીકરીઓ વધુ જવાબદાર બને. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી કારકિર્દી વિકસાવે તેવા આશીર્વાદ સાથે સહાય પ્રાપ્ત બહેનોની યશગાથા વ્યક્ત કરતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે દાતા પરિવાર શ્રી ગૌરાંગભાઈ અને ભદ્રેશભાઈનું સ્વાગત સંસ્થાના મંત્રી ડો.નાનકભાઈ ભટ્ટ દ્વારા થયું.

Related Posts