અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત મલ્ચીંગ, આંબા તથા જામફળ પાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, તેમજ કાચા મંડપ, અર્ધપાકા મંડપ અને પાકા મંડપ માટે સહાય, શાકભાજી પાકોમાં હાઈબ્રીડ બિયારણ, વોટર સોલ્યુબલ ખાતર વગેરે જેવા વિવિધ ઘટકો માટે પૂર્વમંજુરી આપવામાં આવી છે.
આથી, જે ખેડૂતોને ઉપરોક્ત યોજનાઓ અંતર્ગત પૂર્વમંજુરી પ્રાપ્ત થઈ હોય, તેમણે મોડામાં મોડા તા. ૨૦.૦૧.૨૦૨૬ સુધીમાં સંબંધિત ખરીદી કે વાવેતર કામગીરી પૂર્ણ કરીને તેના બિલો તથા જરૂરી સાધનિક/આધાર દસ્તાવેજો સરકારશ્રીના i-Khedut પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) ના માધ્યમથી સમયમર્યાદામાં ઑનલાઈન અપલોડ કરવા ફરજિયાત રહેશે.
આ સાથે અપલોડ કરેલ દસ્તાવેજોની હાર્ડ કોપી “નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી”, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી, ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં બિનચૂક જમા કરાવવાની રહેશે. નક્કી કરેલી સમયમર્યાદા બાદ રજૂ કરવામાં આવેલી કોઈપણ અરજીઓ અથવા કલેઇમ સ્વીકારવામાં આવશે નહીં. જેની તમામ સંબંધિત બાગાયતદાર ખેડૂત મિત્રોએ નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments