પોતાની ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
• ગુજરાતમાં પરિવર્તન માટેનો શંખનાદ ફૂંકાઈ ગયો છે :શ્રી અમિત ચાવડા
• પેટાચૂંટણી સત્તા બદલવાની નહીં, પરંતુ ગુજરાતની દિશા બદલવાની ચૂંટણી : શ્રી અમિત ચાવડા
• આ લડાઈ બે ઉમેદવારો વચ્ચે નહીં, સત્ય અને ભ્રષ્ટાચાર વચ્ચેની લડાઈ છે : શ્રી અમિત ચાવડા
• ભાજપના નેતાની ભ્રષ્ટાચારની જાહેર કબૂલાત પર તાળીઓ, આ છે ભાજપની સાચી સંસ્કૃતિ : શ્રી અમિત ચાવડા
• ભ્રષ્ટાચારના મૌન સમર્થન પાછળ શું કમલમ સુધી પહોંચતું કમિશન જવાબદાર છે? : શ્રી અમિત ચાવડા
ઉમરેઠ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણના ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે આયોજિત ‘વિજય વિશ્વાસ સંમેલન’ માં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ સત્તાના નશામાં અભિમાની અને તાનાશાહી બની ગયા છે. ભ્રષ્ટાચાર તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. સમાજના દરેક વર્ગના લોકો મુશ્કેલી અને નિરાશાનો સામનો કરી રહ્યા છે. આ પેટાચૂંટણીથી સરકાર તરત બદલાવાની નથી, પરંતુ આવનારા સમયની દિશા ચોક્કસ નક્કી થવાની છે. આ ચૂંટણી ફક્ત બે ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતની જનતાની પીડા, આક્રોશ અને ન્યાયની માંગને અવાજ આપવાની લડાઈ છે. સમય આવી ગયો છે કે લોકો પોતાના પરસેવાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારા લોકોને સ્પષ્ટ સંદેશ આપે.
આપણી ચરોતરની ધરતી, જ્યાં પશુપાલકો પોતાના પરસેવા અને મહેનતથી દૂધ ઉત્પાદન કરે છે, એ દૂધ અમૂલ જેવી સંસ્થામાં જમા થાય છે અને લાખો લોકોના ઘરનો ચૂલો એથી સળગે છે. પરંતુ એ જ સંસ્થાના એક પૂર્વ ચેરમેન ભાજપના મંચ પરથી ગર્વથી કહે કે “હા, મેં ભ્રષ્ટાચાર કર્યો છે. રાજકારણમાં આવીને પૈસાદાર થયો છું, લૂંટ ચલાવી છે.” આવું જાહેરમાં બોલાય અને પછી પણ કોઈ કાર્યવાહી ન થાય. સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર કેટલો વધી ગયો છે. કોઈ મુખ્યમંત્રી બોલ્યા નહીં, કોઈ વડાપ્રધાન બોલ્યા નહીં, કોઈ નેતાએ તેની નિંદા પણ કરી નહીં. એનો અર્થ એ થાય કે ભ્રષ્ટાચારના કમિશનના પૈસા સીધા કમલમ સુધી પહોંચે છે અને આખી વ્યવસ્થા તેમાં સામેલ છે.
ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી, સહ પ્રભારી શ્રી રામકીશન ઓઝાજી, શ્રી બી.વી. શ્રીનિવાસ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી અને CWC મેમ્બર શ્રી જગદીશ ઠાકોર, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી બિમલ શાહ, વિધાનસભા પ્રભારી શ્રી નટવરસિંહ મહિડા, શ્રી જગત શુક્લ, શ્રી કરસનદાસ બાપુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











Recent Comments