અમરેલી

માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયા

ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની તા.૦૯-૦૫-૨૦૨૬ને શનિવારના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં ૨૦૨૬-૨૭ના વર્ષ માટે શ્રી દિપક જાદવની પ્રમુખ તરીકે અને શ્રી ભરત ગાંગાણીની મહામંત્રી તરીકે બિનહરિફ જાહેર કરાયા હતા.

ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. તેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી વિક્ટર ડામોર, શ્રી વિપુલ ચૌહાણ, શ્રી ઉમંગ ચૌધરી અને કૌશિક ગજ્જર, સહમંત્રી તરીકે શ્રી ફોરમ રાઠોડ, ખજાનચી તરીકે શ્રી મોતીન્દ્ર ખત્રીની નિમણૂંક કરવામાં આવી છે.

સંગઠન મંત્રી તરીકે શ્રી હર્ષદ રૂપાપરા (વડી કચેરી), શ્રી વિરેન્દ્રસિંહ પરમાર (સૌરાષ્ટ્ર ઝોન), શ્રી વિશાલ કડિયા (મધ્ય ઝોન), શ્રી નરેશ પટેલ (દક્ષિણ ઝોન), શ્રી મિનેશ પટેલ (ઉત્તર ઝોન) તથા શ્રી કૌશિક શીશાંગિયા (જૂનાગઢ ઝોન)ની નિમણૂંક કરવામાં આવી છે.

કારોબારી સભ્યોમાં શ્રી જયંતિલાલ ચૌધરી, શ્રી મહેશ પટેલ, શ્રી ચૈતાલી પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રિયજીતસિંહ રાજપુત, શ્રી સરફરાજ બાદી, શ્રી રૂચા રાવલ, શ્રી દિપીકા મકવાણા, શ્રી સેજલ દવે, શ્રી હિમાંશુ નાયક, શ્રી અક્ષય દેસાઇ, શ્રી ભાલચંદ્ર વિઝુંડા, શ્રી નિતિન રથવી, શ્રી વિવેક ગોહિલ, શ્રી દેવરાજસિંહ ચૌહાણ, શ્રી અરવિંદ ચૌધરી, શ્રી જયદિપસિંહ ઝાલા, શ્રી અરૂણા ડાવરા, શ્રી વૃંદા જોષી અને શ્રી અવની પટેલની વરણી કરવામાં આવી છે.

Related Posts