ઉંદર માટે પકડવા માટે વાપરવામાં આવતી વિવિધ સામગ્રીનાં વેચાણ પર અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે. ગુંદરમાં ચોંટી જઇને ગૂંગળામણના કારણે ઉંદર મૃત્યુ પામે છે.
જો કે, ઉંદરનું નિયંત્રણ ઈચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ની કલમ-૧૧ મુજબ ગેરકાયદેસર છે, ગ્લુટ્રેપનું વેચાણ કરી શકાશે નહીં. નિયમનો ભંગ કરવામાં આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે, તેમ અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.















Recent Comments