ભાવનગર

ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સિટી પાલીતાણા અને જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટ, અમદાવાદ સિવાય અન્ય કોઈ દ્વારા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની નોંધણી પર પ્રતિબંધ

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી તેમજ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સલામતી અને સગવડ ધ્યાને
લેતા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતાં ભાવનગર જિલ્લાના
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ તા.૨૭/૦૮/૨૦૨૬ થી તા.
૨૫/૦૯/૨૦૨૬ સુધી ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સીટી પાલીતાણા ઉપરાંત જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટ,
અમદાવાદ સિવાય અન્ય કોઈ દ્વારા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની નોંધણી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો
છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ
હેડકોન્સ્ટેબલથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.”

Related Posts