આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા નાંદોદ અને ડેડીયાપાડા તાલુકામાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ કૃષિ નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી ખેડૂતોને નવી ખેતી પધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ગુજરાત રાજ્યના
પાટણ તાલુકામાં ગાજરની ખેતી રૂની, ધારપુર, અનાવાડા સહિતના ગામમાં થાય છે. ત્યારે છેલ્લા ૫ વર્ષમાં ગાજરના મણનો ભાવ રૂ.૪૦૦થી ૬૦૦ રહ્યો છે પરંતુ ચાલુ વર્ષે ગાજરનો ભાવ ઘટીને મણના રૂ.૧૬૦થી ૨૨૫ થયો છે. જેથી ખેડૂતોમાં નિરાશા જાેવા મળી રહી છે. પાટણ તાલુકાના રૂની ગામના હિતેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તેઓએ ૧૦ વીઘામાં ગાજરનું […]
ગાંધીનગરના વાવોલ ખાતે આવેલી સહજાનંદ શિલ્પ નામની બાંધકામ સાઈટ પરથી તાજેતરમાં રૂ. ૬.૮૭ લાખની કિંમતની એલ્યુમિનિયમ સેકશનની ચોરીના ગુનામાં સેકટર – ૭ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એલ્યુમિનિયમ સેકશનની ચોરીને અંજામ આપ્યાં પછી ભંગારના ગોડાઉનમાં તેને ઓગાળી દઈ ૨૧૪ નંગ પાટો(ચોખલા) બનાવી દેવામાં આવ્યા હતા. ગાંધીનગરના કુડાસણ રહેતા મહેંદ્રભાઈ પટેલ શ્રીજી એન્ટરપ્રાઈઝના નામે
મહેસાણા શહેરમાં આવેલા વિશ્વ કર્મા વાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ લોકોની નજર ચૂકવી પૈસા ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ છે. ત્યારે આ કેસમાં હાલમાં અજાણ્યા શખ્સ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં મનમોહન સોસાયટી રહેતા જયદીપ કુમાર વ્યાસની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓએ […]
રાણાવાવ તાલુકાના વડવાળા ગામેથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જેમાં મળતી માહીતી પ્રમાણે વડવાળા બાયપાસ પાસે આવેલા સ્મશાનની સામે દેવાભાઈની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા નથુ જેઠા કુછડીયા સવારે ખેતરમાં ધાણાના પાકનું વાવેતર કરેલું હોય તેમાં પીયત કરવા માટે જતા હતા. ત્યારે સામેના ભાગે આવેલ વડના ઝાડ નીચે એક નવજાત તાજી જન્મેલી બાળકી […]
ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં યુવકને ગંભીર ઈજા થતા ૯ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. બનાવને લઈને મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો, કરણીસેનાના યુવાનો, વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો દોડી ગયા હતા. અને આરોપી સામે કડક કાર્યવાહી કરી ઝડપી પાડવાની માગ કરવામાં આવી હતી અને બનાવના ઘેરા પડઘા પડ્યા હતા. અને […]
ભરૂચ-અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતો નેપાળી શખ્સને પકડી ન્ઝ્રમ્એ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. ચોરીમાં ગયેલા સોના, ચાંદીની જણસો તથા રોકડા રૂપિયા સહીત કુલ કિં.રૂ. ૪.૧૫ લાખના મુદ્દમાલ સાથે એક નેપાળી વોચમેનની ધરપકડ કરાઈ છે. ક્રીસમસ (નાતાલ) તહેવારના વેકેશન દરમિયાન રહેણાંક વિસ્તારના મકાનો બંધ રહે છે. આવા બંધ મકાનોમાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલ્કત […]
નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને અન્ય ગામમાં રહેતા મ્જીહ્લ જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી મ્જીહ્લ જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક ૭ વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા મ્જીહ્લ જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો છે. લાકડી, ધારીયા, પાવડા લઈને મ્જીહ્લ જવાન […]
દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોતિંગ દરવાજાે તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીનું અંતે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ થયુ હતું. આ ઘટનાથી ગામમાં રોષ સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દાહોદ […]
અમદાવાદના કાંકરિયા ખાતે આજથી કાર્નિવલ ૨૦૨૨નો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કાંકરિયા ખાતે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન મંત્રોચ્ચાર સાથે ઋષિકુમારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈનના
Recent Comments