અમરેલી

અમરેલી શહેર કડવા પાટીદાર સમાજ દ્વારા સિદસર મુકામે દિવ્ય ધ્વજારોહણ વિધિનું થયેલ આયોજન

જગત જનની માઁ ઉમિયાની અસીમ કૃપાથી અમરેલી શહેર ઉમિયા પરિવાર – અમરેલીના ઉપક્રમે તથા સાંગાડેરી કડવા પટેલ સમાજના ઉપકમે સહપરિવાર સિદસર મુકામે માઁ ઉમિયા માતાજીના મંદિરે તા. ૨૯-૦૪-૨૦૨૫ ને મંગળવારે મહા સન્માન અને ધાર્મિક ભાવનાથી મંદિરના ધ્વજ સ્તંભ ઉપર દિવ્ય ધ્વજારોહણ વિધિનું  આયોજન કરવામાં આવેલ હતું.

ધ્વજારોહણએ મંદિર અને તેના ભક્તો માટે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. ભક્તો માટે દિવાદાંડી સમાન અને નકારાત્મક શક્તિથી રક્ષણ આપનાર હિન્દુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક પ્રથા સમાન ધ્વજારોહણ સાથે માઁ ઉમિયા પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિભાવથી જોડાઈ સિદસર મુકામે ઉમિયા માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણના અલૌકિક દિવ્ય મનોરથમાં સહભાગી થઈ માઁ ઉમિયા પ્રત્યે ભક્તિ વ્યક્ત કરવાના માર્ગ તરફ જોડાયેલા હતા. મંદિરના પ્રાંગણમાં ભાવિકો અને શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યા સાથે ધાર્મિક ઉત્સાહ જોવા મળેલ હતો. આ પવિત્ર અવસરે ભક્તો માટે ભજન કીર્તન, આરતી અને પ્રસાદ વિતરણ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

કડવા પટેલ સમાજની વિવિધ સામાજીક પ્રવૃત્તિઓમાં સતત માર્ગદર્શન અને સહયોગ આપી સામાજીક ઉત્તરદાયિત્વ વ્યક્ત કરતા મંદિરના ટ્રસ્ટીશ્રી જયવંતભાઈ ડાયાભાઈ ફીણાવા અને સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખશ્રી વજુભાઈ ગોલ દ્વારા માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવેલ હતા. તેઓએ જણાવેલ કે સમાજમાં એકતા, જાગૃતિ અને ચેતના સાથે સમાજને સંગઠન શક્તિને ઉજાગર કરવાની અપીલ કરી હતી.

આ ધ્વજારોહણ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી શહેર ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખશ્રી રમેશભાઈ ગોલ, પ્રા. એમ. એમ. પટેલ, રાજેશભાઈ સરખેદી, રોનકભાઈ ભલોડિયા, જીતેનભાઈ ગોલ, કાળુભાઈ આદ્રોજા, હર્ષદભાઈ વિરપરા, પ્રા. મહેશભાઈ એમ.  પટેલ, રમેશભાઈ દસલાણીયા, ભાવેશભાઈ કડેવાળ, 

ચંદુભાઈ સુરાણી, ગુનાભાઈ કમાણી, શાંતિભાઈ સોળીયા, નવનીતભાઈ આંબલીયા, પરેશભાઈ વડાળીયા, રાકેશભાઈ ગોલ, અમરશીભાઈ ગોલ, મનસુખભાઈ પડસાલા, તુલસીભાઈ ગોલ, જય ગોલ, રમેશભાઈ ફળદુ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી

Related Posts