અમરેલી

અમરેલી માં પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસે અમરેલીમાં ‘શ્રવણનું ઘર’ અંતર્ગત ટીફીન સેવાનો ભવ્ય શુભારંભ

સનાતન સેવા મંડળ દ્વારા અમરેલીમાં વડીલો અને જરૂરિયાતમંદો માટે ભગીરથ સેવાનો પ્રારંભ થયો

*’શ્રવણનું ઘર’ અંતર્ગત શરૂ થયેલી ટીફીન સેવાના શુભારંભ પ્રસંગે અનેક સંતો-મહાનુભાવો ઉપસ્થિત રહ્યા*

**અમરેલી:**
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે **સનાતન સેવા મંડળ, અમરેલી** દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગ્નિ અખાડાના અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ (ચાપરડા) ના પાવન જન્મ દિવસના શુભ અવસરે અમરેલી ખાતે જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે **‘શ્રવણનું ઘર’** નામથી નિઃશુલ્ક/રાહત દરે ટીફીન સેવાનો આજ રોજ મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવાકીય પ્રકલ્પના શુભારંભ પ્રસંગે માનવ મંદિર, સાવરકુંડલાનાપૂજ્ય ભક્તિબાપુખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ નૂતન સેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી શહેર અને આસપાસના વિસ્તારના અસહાય અને જરૂરિયાતમંદ વૃદ્ધો તેમજ દર્દીઓ સુધી પૌષ્ટિક ભોજન પહોંચાડી શકાય તે માટેના અદભુત સેવા કેન્દ્રનું નિર્માણ થયું છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિસ્તારના અગ્રણીઓ અને સેવાભાવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં: શ્રી મુકુંદભાઈ મહેતા શ્રી ભરતભાઈ મહેતા શ્રી રાણીગભાઈ શ્રી પ્રતાપબાપુ રાઠોડ
આ ઉપરાંત સંસ્થાના પ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારો અને સેવાભાવી અગ્રણીઓએ હાજરી આપીને આ લોકસેવાના કાર્યને બિરદાવ્યું હતું અને સંસ્થાના આ પ્રયાસને સમાજ માટે ખૂબ જ આશીર્વાદરૂપ ગણાવ્યો હતો.

સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ‘શ્રવણનું ઘર’ અંતર્ગત શરૂ કરાયેલી આ ટીફીન સેવા સમાજના એવા લોકો માટે નિમિત્ત બનશે જેઓ શારીરિક કે આર્થિક અસમર્થતાના કારણે પોતે ભોજન બનાવી શકતા નથી. કોઈ ભૂખ્યું ન સૂવે અને વડીલોને ઘર આંગણે શ્રવણ બનીને ભોજન પહોંચાડી શકાય તે જ આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અમરેલીની ધર્મપ્રેમી જનતાએ સનાતન સેવા મંડળના આ માનવતાવાદી કાર્યને હૃદયપૂર્વક આવકારીને શુભકામનાઓ પાઠવી છે.

Related Posts