રાષ્ટ્રીય

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) નું દેશવાસીઓને આશ્વાસન, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGP નો પર્યાપ્ત ભંડાર છે, કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન માટે લીધેલા કડક પગલાં બાદ ગુરુવારે બન્ને દેશો વચ્ચે તણાવ વધતાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે(ૈર્ંંઝ્રન્) દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને ન્ય્ઁનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે અને તમામ આઉટલેટ્સ પર ઇંધણ અને ન્ય્ઁની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. કંપનીએ શુક્રવારે, ૯ મે સવારે ૫:૧૫ વાગ્યે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી હતી.
આ બાબતે ઇન્ડિયન ઓઇલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ઈંૈંહઙ્ઘૈટ્ઠર્હંૈઙ્મ પાસે દેશભરમાં ઇંધણનો પર્યાપ્ત જથ્થો છે અને અમારી સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે. ગભરાહટમાં ખરીદી કરવાની જરૂર નથી. ઇંધણ અને ન્ઁય્ અમારા તમામ આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે. અમારી શ્રેષ્ઠ સેવા માટે શાંત રહો અને અનાવશ્યક ભીડથી બચો. જેનાથી અમારી સપ્લાઇ લાઇન કોઈપણ અડચણ વિના ચાલતી રહે અને તમામ સુધી ઇંધણ પહોંચી શકે.‘
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારતની સૌથી મોટી તેલ કંપનીમાંથી એક છે, જે તેલ, ગેસ, પેટ્રોકેમિકલ્સ અને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરે છે. આ મેસેજ દ્વારા ઇન્ડિયન ઓઇલે ન ફક્ત પોતાની તૈયારી દર્શાવી છે પરંતુ, દેશવાસીઓને એકજૂટતા અને સમજદારીની અપીલ પણ કરી છે, જેથી સપ્લાઇ ચેન પ્રભાવિત ન થાય અને તમામને જરૂરી સંસાધન મળતા રહે.

Related Posts