ભાવનગર

તલગાજરડા ગામે યોજાયેલ રામકથામાં સૌ શ્રોતાજનો કથારસમાં રસ તરબોળ થયા 

મહુવાના તલગાજરડા ખાતે યોજાયેલ રામકથામાં મોરારીબાપુ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનોને હાજરી રહી હતી.

ગામ સમસ્ત દ્વારા આયોજિતિ મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને શ્રી રામકથાની શુક્રવારે પૂર્ણાહુતિ થશે.

સનાતન ધર્મની પાવનભૂમિ તલગાજરડા ગામે ગત તા.14 મે ગુરુવારના રોજ પ્રારંભાયેલી રઘુનાથ ગાથામાં કથા શ્રાવણનો સમય દરરોજ 9.30 થી 1 વાગ્યા સુધીનો છે.

વ્યાસગાદી પરથી પૂ.રામેશ્વરબાપુ હરિયાણી સંગીતમય શૈલીમાં કથા રસપાન કરાવી રહ્યા છે.

આજરોજ ભરચક કથા મંડપમાં સૌ શ્રોતાજનોને હાજરી રહી હતી. પૂ.મોરારીબાપુએ પણ આજે કથા શ્રાવણનો લાભ લીધો હતો.

Related Posts