શ્રી વગડીયા ખોડિયાર મંદિર સેવક સમુદાય દ્વારા આજે બ્રહ્મલીન પૂજ્ય મોહનદાસ બાપુ ની નિર્વાણ તિથિ ઉજવાશે
દામનગર ના ધ્રુફણીયા રોડ ઉપર રેવન્યુ વિસ્તાર માં આવેલ શ્રી વગડીયા ખોડિયાર મંદિર ના સ્થાપક બ્રહ્મલીન મહંત શ્રી મોહનદાસ બાપુ ની નિર્વાણ તિથિ ની વર્તમાન મહંત શ્રી પ્રીતમદાસ બાપુ ની પાવન નિશ્રા માં પોષ સુદ ૧૪ ને રવિવારે તા.૧૨/૦૧/૨૫ ઉજવણી થશે સમગ્ર રેવન્યુ વિસ્તાર ના ખેડૂત પરિવાર એવમ સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન શ્રી વગડીયા ખોડિયાર માતાજી સેવક સમુદાય દ્વારા સમાધિ પૂજન સવારે ૭-૦૦ કલાકે મહા પ્રસાદ બપોરે ૧૨-૦૦ કલાકે દર્શનીય સંતો ની ઉપસ્થિતિ માં ધર્મસભા નામી અનામી કલાવૃંદ દ્વારા સંતવાણી ને લઈ સમસ્ત શ્રી વગડીયા ખોડિયાર માતાજી મંદિર સેવક સમુદાય નું આયોજન
Recent Comments