મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઈસ્લામ,શેલારશા રોડ,ભાવનગર ખાતે તા.૨૮/૦૫/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લઘુમતી સમાજના ભાઈઓ/બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રોજગારી કાર્ડ નોંધણી માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પારાપોર્ટ સાઈઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૨૮મી, મે એ ભાવનગરના કસ્બા અંજુમને ઈસ્લામ,શેલારશા રોડ ખાતે સેમિનાર યોજાશે
















Recent Comments