બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ મળતાની સાથે જ ગ્રામજનોમાં ભયની લાગણી જાેવા મળી હતી. એક ખેતરમાંથી મૃત હાલતમાં આઠ માદા મોર અને એક તેતર સહિત નવ પક્ષીઓ મળ્યા હતા..ગ્રામજનોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી. જે બાદ વનવિભાગની ટીમે મૃતપક્ષીઓનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી.
બર્ડ ફ્લૂઃ લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં નવ પક્ષીઓ મળી આવ્યા

Recent Comments