ભાવનગર શિશુવિહારના ૫૦ કાર્યકરોને મનપાના ચીફ મેડિકલ ઓફિસર ડો સિન્હાના માગદર્શન હેઠળ કોવિડ વેકસીનેશનનો બીજો ડોઝ અપાયો

ભાવનગર ની સેવા સંસ્થા શિશુવિહાર ના ૫૦ કાર્યકરો નું આરોગ્ય સુરક્ષિત ભાવનગર મહાનગરપાલિકા સ્વાસ્થ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડો.સિન્હા સાહેબ ના દિશા નિર્દેશથી COVISHIELD નો પ્રથમ અને ૨૮ દિવસ પછી બીજો ડોઝ સફળ રીતે આપવામાં આવેલ છે.ભાવનગર અર્બન હેલ્થના ડો.શક્તિસિંહ ગોહિલ,ડો.સ્વેતાબેન પટેલ ,ડો.વિજયભાઈ કાપડિયા,ડો.મૌલિકભાઈ વાઘણી, ડો.પ્રણાવભાઈ આસ્તિકની ટીમ દ્વારા મળેલ સુવિધા માટે સંસ્થાપરિવાર આભાર માને છે.તેમજ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન સંસ્થાના ડો.અરવિંદભાઇ ત્રિવેદી એ કર્યું હતું
Recent Comments